ચિરૈયા એક કઠોર નાટક છે જે લગ્નજીવનમાં મહિલાઓના અધિકારોને બતાવે છે
Photo Credit: JioHotstar
ચિરૈયા 20 માર્ચે JioHotstar પર પ્રસારિત કરવામાં આવશે .
ચિરૈયા એક આગામી હિન્દી વેબ સિરીઝ છે , જે ટૂંક સમયમાં દર્શકો સામે રજૂ થવા જઈ રહી છે .આ સિરીઝનો મુખ્ય વિષય પિતૃશાસક સમાજ અને લગ્ન પછી સ્ત્રીઓ પર થતો અદ્રશ્ય પરંતુ ગંભીર દબાણ છે . સમાજમાં કેટલીક વાર અને કેટલાક લોકોનું માનવું છે કે સ્ત્રીઓને માત્ર ઘરની જવાબદારી સાંભળનાર તરીકે જોવા મળે છે . જયારે ઘરની સ્ત્રીઓની કોઈ લાગણીઓ અને સંમતિને માનવામાં આવતી નથી , જોકે લોકો આને કોઈ ખાસ મુદ્દા તરીકે નથી લેતા પણ આ અત્યન્ત સંવેદનશીલ મુદ્દો છે , જેને પર આ વેબ સિરીઝ ખુબ જ ભાવનાત્મક રીતે રજૂ કરે છે .
ક્યારે અને ક્યાં જોવું :
ચિરૈયા 20 માર્ચે , 2026થી JioHotstar પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ બનશે . દર્શકો આ સિરીઝ ઓનલાઇન પ્લેટફોર્મ પર સરળતાથી જોઈ શકશે .
ટ્રેલર અને પ્લોટ :
સિરીઝની વાર્તા પૂજા નામની એક યુવતીની આસપાસ ફરે છે , જે લગ્ન પછી એક નવા જીવનની આશા રાખે છે . તે માનતી હોય છે કે તેને એક પ્રેમાળ અને સમજદાર પતિ મળશે , પરંતુ હકીકતમાં તેની કલ્પના કરતાં ઘણી જુદી નીકળે છે . લગ્નના પહેલા જ દિવસે , તેના પતિ દ્રારા તેની સંમતિ વિના તેના પર બળાત્કાર કરવામાં આવે છે , જે તેના જીવનને હચમચાવી નાખે છે .
આ ઘટના પછી પૂજા ખુબ જ માનસિક તણાવમાં મુકાય છે અને પોતાની પીડા પોતાના પરિવારજનો સાથે વહેંચવાનો પ્રયાસ કરે છે પરંતુ તેને સહાનુભૂતિ મળવાને બદલે તેને સમજાવવામાં આવે છે કે આ "પતિનો અધિકાર " છે.આ વિચારધારા તેને વધુ દુઃખી બનાવે છે , પરંતુ સાથે જ તે પોતાની અવાજ ઊંચો કરવાની હિંમત પણ આપે છે . તે સંમતિના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે છે અને પોતાના આત્મસન્માન માટે પોતાના પતિ સામે ઉભી રહે છે .
કલાકરો :
ચિરૈયામાં વિદ્યા બાલન , શશાંત શાહ અને સંજય મિશ્રા જેવા પ્રતિભાશાળી કલાકારો મુખ્ય ભૂમિકાઓ ભજવી રહ્યા છે . ઉપરાંત પ્રસન્ના બિષ્ટ અને સિદ્ધાર્થ શો પણ મહત્વપૂર્ણ પાત્રોમાં જોવા મળશે . સિરીઝનું દિર્ગદશન શશાંત શાહે કર્યું છે , જયારે આ વાર્તા દિવ્ય નિધિ શર્માએ સંભાળ્યું છે . SVF એન્ટરટેઇન્મેન્ટના બેનર હેઠળ શ્રીકાંત મોહતા , મહેન્દ્ર સોની અને આદિત્ય જાલાન દ્રારા આ સિરીઝનું નિર્માણ કરવામાં આવ્યું છે .
અભિપ્રાય :
ચિરૈયા મહિલાઓની સુરક્ષા , સંમતિ અને અધિકારો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને સ્પર્શે છે . ભલે આ વિષય નવો નથી , પરંતુ તેની રજુઆતમાં ભાવનાત્મક ઊંડાણ અને સામાજિક સંદેશને કારણે સિરીઝ ચર્ચામાં છે . હાલમાં આ સિરીઝને કોઈ IMDb રેટિંગ મળ્યું નથી , કારણ કે તે હજી રિલીઝ થઇ નથી , પરંતુ દર્શકોમાં તેની ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે .
જાહેરાત
જાહેરાત