ભીમ એકાદશી 2026 ક્યારે છે ? ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા જાણો વ્રતના નિયમો

ભીમ એકાદશી 2026ના પાવન અવસરે ભક્તો નિર્જળા વ્રત રાખીને ભગવાન વિષ્ણુની આરાધના કરશે .

ભીમ એકાદશી 2026 ક્યારે છે ? ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા જાણો વ્રતના નિયમો
હાઇલાઇટ્સ
  • આ વર્ષે ભીમ એકાદશી 25 જૂને આવે છે
  • નિર્જળા એકાદશીમાં ભક્તો અન્ન અને જળ બંનેનો ત્યાગ કરીને ઉપવાસ કરે છે
  • એકાદશી હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે
જાહેરાત

હિંદુ પંચાંગ અનુસાર જ્યેષ્ઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને ભીમ એકાદશી અથવા નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે . આ વર્ષે ભીમ એકાદશી 25 જૂને આવે છે . આ એકાદશી હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે અને તેને તમામ એકાદશીઓમાં સૌથી કઠોર વ્રત માનવામાં આવે છે . વર્ષ 2026માં ભક્તો આ પવિત્ર તિથિને શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવશે . ભગવાન વિષ્ણુને સમર્પિત આ દિવસે દેશભરના મંદિરોમાં વિશેષ પૂજા - અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે .

ભીમ એકાદશી નામ પાછળની કથા 
પૌરાણિક માન્યતાઓ અનુસાર પાંડવોમાં ભીમસેનને ભોજન ખુબ પ્રિય હતું . તેથી તેમના માટે નિયમિત એકાદશીનું ઉપવાસ કરવું મુશ્કેલ હતું . એવું કહેવામાં આવે છે કે ભીમસેને મહર્ષિ વેદવ્યાસને આ અંગે ઉપાય પૂછ્યો હતો . ત્યારે તેમને વર્ષમાં માત્ર એક દિવસ કડક નિર્જળ ઉપવાસ રાખવાની સલાહ આપવામાં આવી હતી .ત્યારથી આ એકાદશી ભીમ એકાદશી અથવા ભીમસેની એકાદશી તરીકે પ્રસિદ્ધ બની .

કેમ ખાસ છે નિર્જળા એકાદશી ?
અન્ય એકાદશીઓમાં ફળાહાર અથવા પાણી પીવાની છૂટ હોય છે , પરંતુ નિર્જળા એકાદશીમાં ભક્તો અન્ન અને જળ બંનેનો ત્યાગ કરીને ઉપવાસ કરે છે . ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવાથી વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીઓના વ્રત જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે . આ કારણે ઘણા લોકો માટે આ દિવસ વિશેષ આસ્થાનું કેન્દ્ર બની રહે છે .

આ રીતે કરવામાં આવે છે પૂજા 
ભીમ એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે . ભક્તો તુલસીના પાન , ફૂલ અને ફળ અર્પણ કરીને વિષ્ણુ મંત્રોનો જાપ કરે છે . ઘણા લોકો દિવસભર ભજન - કીર્તન , ધાર્મિક ગ્રંથોના પાઠ અને ભગવાનના નામસ્મરણમાં સમય પસાર કરે છે . એકાદશી પૂર્ણ થયા બાદ દ્વાદશીના દિવસે નિયમ અનુસાર પારણું કરવામાં આવે છે .

ભક્તિ સંદેશ 
ભીમ એકાદશી માત્ર ધાર્મિક વિધિઓ પૂરતી મર્યાદિત નથી , પરંતુ તે આત્મસંયમ , શિસ્ત અને આધ્યાત્મિક સંદેશ પણ આપે છે . આ વ્રત દ્રારા વ્યક્તિ પોતાના મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરે છે . તેથી જ ભીમ એકાદશી આજે પણ લાખો ભક્તો માટે શ્રદ્ધા અને વિશ્વાસનો મહત્વપૂર્ણ તહેવાર બની રહે છે . 


 

 
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Samsung Galaxy S26+ ખરીદવાનો સારો મોકો , ડિસ્કાઉન્ટ બાદ કિંમત ઘટીને રૂપિયા 82,450 સુધી
  2. Vivo X Fold 6 માં 200MP કેમેરા , 8.02 ઇંચ ડિસ્પ્લે અને નવી Dimensity 9500 ચિપ મળવાની શક્યતા
  3. 1 જુલાઈથી આધાર એપમાં મળશે મોટી રાહત , ઇમેઇલ ID અપડેટ પર નહીં લાગે કોઈ ચાર્જ
  4. 13MP કેમેરા , Helio G81 અલ્ટ્રા ચિપ અને 18W ફાસ્ટ ચાર્જિંગ સાથે Redmi 17C રજૂ
  5. 160W અને 120W મોડેલ સાથે itelની એન્ટ્રી , iThumpX BASS અને Bluetooth 5.3 જેવી સુવિધાઓ
  6. NEET વિવાદ બાદ ટેલિગ્રામને રાહત , પરંતુ 30 જૂન સુધી કેટલાક નિયંત્રણો યથાવત
  7. Coolpadનો નવો બજેટ ફોન cool 80 રજૂ , iPhone જેવી ડિઝાઈન સાથે મળશે 128GB સ્ટોરેજ
  8. Cred સ્થાપક કુણાલ શાહ સંભાળશે WhatsApp ની કમાન , Meta એ Cred માં કર્યું $900 મિલિયન રોકાણ
  9. Lenovo Aurora GH15 હેડસેટ આવ્યો માર્કેટમાં , 40mm ડ્રાઈવર્સ અને મલ્ટી- કનેક્ટિવિટી સાથે
  10. 200MP કેમેરા અને Snapdragon 8 Elite Gen 5 સાથેનો Samsung Galaxy S26 Ultra હવે ઓછી કિંમતે ઉપલબ્ધ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »