મચ્છરજન્ય રોગો સામે ગૂગલનો અનોખો પ્રયોગ , EPA સમક્ષ મંજૂરી માટે દરખાસ્ત

ગૂગલ યુએસ માં 32 મિલિયન લેબમાં ઉછેરાયેલા મચ્છરોને છોડવાની યોજના પર કામ કરી રહ્યું છે

મચ્છરજન્ય રોગો સામે ગૂગલનો અનોખો પ્રયોગ , EPA સમક્ષ મંજૂરી માટે દરખાસ્ત

Photo Credit: AI Generated

મચ્છરોની વસ્તી ઘટાડવા માટે ગૂગલ એક નવો વૈજ્ઞાનિક પ્રયોગ કરી રહ્યું છે

હાઇલાઇટ્સ
  • ગૂગલે ફ્લોરિડા અને કેલિફોર્નિયામાં કુલ 3.2 કરોડ નર મચ્છરો છોડવાની મંજૂરી
  • આ પ્રોજેક્ટમાં વોલબેચિયા પિપિયેન્ટિસ નામના બેક્ટેરિયાનો ઉપયોગ
  • આ પહેલ ગૂગલના ' ડીબગ ' પ્રોજેક્ટનો ભાગ
જાહેરાત

 મચ્છરોની વધતી વસ્તીને નિયંત્રિત કરવા માટે સામાન્ય રીતે જંતુનાશકોનો ઉપયોગ અથવા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે . જોકે , ગૂગલે આ સમસ્યાનો  સામનો કરવા માટે એક અલગ અને વૈજ્ઞાનિક  અભિગમ અપનાવ્યો છે . કંપનીએ આવતા બે વર્ષ દરમિયાન અમેરિકામાં લાખો પ્રયોગશાળા ઉછેરાયેલા  નર મચ્છરો છોડવાની દરખાસ્ત રજૂ કરી છે . આ યોજના હાલમાં યુએસ એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી ( EPA ) ની સમીક્ષા હેઠળ  છે . ગૂગલના ' ડીબગ ' પ્રોજેક્ટનો ભાગ છે જેની શરૂઆત 2014માં કરવામાં આવી હતી  . ગૂગલે ફ્લોરિડા અને કેલિફોર્નિયામાં કુલ 3.2 કરોડ નર મચ્છરો છોડવાની મંજૂરી માંગી છે .

આ પહેલ ગૂગલના ' ડીબગ ' પ્રોજેક્ટનો ભાગ છે જેની શરૂઆત 2014માં કરવામાં આવી હતી . પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મચ્છરજન્ય રોગો ફેલાવતા મચ્છરોની સંખ્યાને નિયંત્રિત કરવા માટે નવી ટેક્નોલોજી  વિકસાવવાનો છે . કંપનીના જણાવ્યા અનુસાર , આ કામગીરીમાં વૈજ્ઞાનિકો , સ્થાનિક સમુદાયો અને સરકારી એજન્સીઓનો પણ  સહયોગ લેવામાં આવી રહ્યો છે .

ગૂગલે ફ્લોરિડા અને કેલિફોર્નિયામાં કુલ 3.2 કરોડ નર મચ્છરો છોડવાની મંજૂરી માંગી છે . યોજના મુજબ પહેલા વર્ષે 1.6 કરોડ અને બીજા વર્ષે વધુ 1.6 કરોડ મચ્છરો છોડવામાં આવશે . જોકે આ ટેસ્ટ માટેના ચોક્કસ સ્થળો અને સમય અંગે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી .

આ પ્રોજેક્ટમાં વોલબેચિયા પિપિયેન્ટિસ નામના બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવશે . પ્રયોગશાળામાં ઉછેરાયેલા નર મચ્છરોને આ બેક્ટેરિયાથી સંક્રમિત કરવામાં આવશે . જયારે આવા નર મચ્છરો જંગલી માદા મચ્છરો સાથે પ્રજનન કરશે , ત્યારે તેમના ઇંડામાંથી નવા મચ્છરો વિકસિત નહીં થાય . પરિણામે , સમય જતાં મચ્છરોની વસ્તીમાં સમય જતાં  મચ્છરોની વસ્તીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે .

ખાસ વાત એ છે કે માત્ર માદા મચ્છરો જ માનવોને કરડે છે , જયારે નર મચ્છરો કરડતા નથી .  આ પ્રોજેક્ટથી લોકોને નર મચ્છરો કરડતા નથી . તેથી આ પ્રોજેક્ટથી  લોકોને કરડતા મચ્છરોની સંખ્યામાં વધારો થવાનો ભય નથી . તેનો મુખ્ય ઉદ્દેશ્ય મચ્છરોની નવી પેઢીના વિકાસને રોકવાનો છે .

જો EPA તરફથી મંજૂરી મળી જશે , તો આ પ્રોજેક્ટ મચ્છરજન્ય રોગો સામેની લડતમાં એક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગ સાબિત થઈ શકે છે . જોકે , હકીકતમાં  તેની અસર  અને લાંબા ગાળાના પરિણામો ટેસ્ટ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  2. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  3. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  4. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  5. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
  6. મોટી બચત કરો iPhoneની ખરીદી Flipkart Freedom Sale 2026માં
  7. Vivo S2 લોન્ચ પહેલા ફીચર્સ અને કિંમત લીક , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે
  8. Xiaomiનો Redmi 17 5G રજૂ , Android 16 અને Unisoc T 8300 પ્રોસેસર મળશે
  9. Vivo V80 Lite 5G માં મળી શકે 6.83 ઇંચ AMOLED ડિસ્પ્લે અને 7,050mAh બેટરી
  10. IndiGoની ખાસ ઓફર , પસંદ થયેલા મુસાફરોને મળશે રૂપિયા 10,000 સુધીનું રિફંડ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »