Samsung One UI 9.0 માં કુલ 13 નિષ્ફ્ળ અનલૉક પ્રયાસોની મર્યાદા રાખવામાં આવી છે
Photo Credit: istock/megaflopp
Samsung One UI 9.0 માં કુલ 13 નિષ્ફ્ળ અનલૉક પ્રયાસોની મર્યાદા રાખવામાં આવી છે
સેમસંગે One UI 9.0 પર ચાલતા સ્માર્ટફોન અને અન્ય ડિવાઈસ માટે લૉક - સ્ક્રીનની સુરક્ષામાં મોટો ફેરફાર કર્યો છે . હવે જો કોઈ યુઝર્સ વારંવાર ખોટો પાસવર્ડ , પિન કે પેટર્ન નાખે છે , તો ફોનને અનલૉક કરવો વધુ મુશ્કેલ બની જશે . સૌથી અગત્યની વાત એ છે કે જો નક્કી કરેલી મર્યાદા સુધી પણ ફોન અનલૉક ન થાય, તો તેને ફેક્ટરી રીસેટ કરવો પડશે , જેના કારણે ફોનમાં રહેલો તમામ ડેટા ડિલીટ થઈ જશે . તેથી તમને સમયસર ડેટાનો બેકઅપ રાખવો ખુબ જ જરૂરી છે .
સેમસંગે તેની બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે One UI 9.0 માં કુલ 13 નિષ્ફ્ળ અનલૉક પ્રયાસોની મર્યાદા રાખવામાં આવી છે . શરૂઆતના 5 ખોટા પ્રયાસો પછી ફોન 1 મિનિટ માટે લૉક થઈ જશે . ત્યારબાદ દરેક ખોટા પ્રયાસ પછી તમને રાહ જોવી પડશે .જેમ કે , 6 ખોટા પ્રયાસ પછી 5 મિનિટની રાહ જોવી પડશે , 7માં ખોટા પ્રયાસ પછી 15 મિનિટ , 8માં ખોટા પ્રયાસ પછી 30 મિનિટ , 9માં ખોટા પ્રયાસ પછી 90 મિનિટ , 10માં ખોટા પ્રયાસ પછી 4 કલાક , 11માં ખોટા પ્રયાસ પછી 12 કલાક અને 12માં ખોટા પ્રયાસ પછી 24 કલાકની રાહ જોવી પડશે , જો 13મો પ્રયાસ પણ ખોટો પડે તો ફોન કાયમી રીતે લોક થઈ જશે . ત્યારબાદ તેને ફૂલ ફક્ત ફેક્ટરી રીસેટ કરીને ઉપયોગમાં લઈ શકાશે .
સેમસંગે તેની નવી સિસ્ટમમાં એક સ્માર્ટ ફીચર પણ ઉમેર્યું છે . જો કોઈ યુઝર એક જ ખોટો પિન અથવા પેટર્ન વારંવાર દાખલ કરે તો તેને અલગ - અલગ ગણવામાં નહીં આવે . પરંતુ જો દરેક વખતે અલગ ખોટો પિન કે પેટર્ન દાખલ કરશો , તો પ્રયાસોની સંખ્યા વધતી જશે .
કંપનીએ પણ જણાવ્યું છે કે જયારે યુઝર્સ મર્યાદાની નજીક પહોંચશે ત્યારે સ્ક્રીન પર બાકી રહેલા પ્રયાસોની ચેતવણી પણ દેખાશે . સેમસંગે તેના યુઝર્સને સલાહ આપતા કહ્યું છે કે મહત્વનો ડેટા સુરક્ષિત રાખવા માટે નિયમિત રીતે Samsung Cloud અથવા Smart Switch દ્રારા બેકઅપ લેતા રહેવું જોઈએ .
જાહેરાત
જાહેરાત