સંચાર સાથી એપ Department of Telecommunicationની ડિજિટલ પહેલ છે
Photo Credit: Department of Telecommunications
સંચાર સાથી એપ વિશેનું બધું અહીં મળી જશે .
ભારતમાં ટેલિકોમ યુઝર્સની સુરક્ષા વધારવા માટે, Department of Telecommunication (DoT ) દ્રારા " સંચાર સાથી " નામની મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી હતી . આ એપ જાન્યુઆરી 2025 માં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્રારા રજૂ કરવામાં આવી હતી . હાલમાં આ એપ ફરી ચર્ચામાં આવી છે કારણ કે DoT એ સ્માર્ટફોન બનાવતી કંપનીઓને તેમના ડિવાઇસ સાથે આ એપ પ્રિ - ઇન્સ્ટોલ કરવાની સલાહ આપી છે , જેથી વધુમાં વધુ યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે અને મોબાઈલ સુરક્ષા મજબૂત બની શકે .
આના મુખ્ય ફાયદાઓ :
કેવી રીતે ડાઉનલોડ અને નોંધણી કરવી ?
આના માટે સૌથી પહેલા તમને Google Play Store અને Apple App Store પર જવું પડશે ત્યાં સંચાર સાથી એપ ઉપલબ્ધ છે . Android યુઝર્સ Play Store થી જયારે iPhone યુઝર્સ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે .
એપને ઇન્સ્ટોલ કર્યા પછી તેને ખોલો અને તમારી પસંદગીની ભાષાને પસંદ કરો , પછી " આગળ વધો" પર ક્લિક કરો . એઓ તમને તેની સુવિધાઓ વિશે માહિતી બતાવશે . આના પછી રજિસ્ટ્રેશન માટે તમારું નામ દાખલ કરો અને OTP દ્રારા વેરિફિકેશન પૂર્ણ કરો . થોડા સેકેન્ડમાં તમારો નંબર સફળતાપૂર્વક રજિસ્ટર થઈ જશે .
સંચાર સાથી એપ એ એક માત્ર એપ જ નહિ પરંતુ મોબાઈલ સુરક્ષા માટેનું એક શક્તિશાળી સાધન છે . તે યુઝર્સને તેમના ડેટા અને ડિવાઇસ પર વધુ નિયંત્રણ આપે છે અને વધતા સાઇબર ફ્રોડ સામે રક્ષણ પૂરું પાડે છે .
જાહેરાત
જાહેરાત