સંચાર સાથી એપ Department of Telecommunicationની ડિજિટલ પહેલ છે
Photo Credit: Department of Telecommunications
સંચાર સાથી એપ વિશેનું બધું અહીં મળી જશે .
ભારતમાં ટેલિકોમ યુઝર્સની સુરક્ષા વધારવા માટે, Department of Telecommunication (DoT ) દ્રારા " સંચાર સાથી " નામની મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી હતી . આ એપ જાન્યુઆરી 2025 માં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્રારા રજૂ કરવામાં આવી હતી . હાલમાં આ એપ ફરી ચર્ચામાં આવી છે કારણ કે DoT એ સ્માર્ટફોન બનાવતી કંપનીઓને તેમના ડિવાઇસ સાથે આ એપ પ્રિ - ઇન્સ્ટોલ કરવાની સલાહ આપી છે , જેથી વધુમાં વધુ યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે અને મોબાઈલ સુરક્ષા મજબૂત બની શકે .
આના મુખ્ય ફાયદાઓ :
કેવી રીતે ડાઉનલોડ અને નોંધણી કરવી ?
આના માટે સૌથી પહેલા તમને Google Play Store અને Apple App Store પર જવું પડશે ત્યાં સંચાર સાથી એપ ઉપલબ્ધ છે . Android યુઝર્સ Play Store થી જયારે iPhone યુઝર્સ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે .
એપને ઇન્સ્ટોલ કર્યા પછી તેને ખોલો અને તમારી પસંદગીની ભાષાને પસંદ કરો , પછી " આગળ વધો" પર ક્લિક કરો . એઓ તમને તેની સુવિધાઓ વિશે માહિતી બતાવશે . આના પછી રજિસ્ટ્રેશન માટે તમારું નામ દાખલ કરો અને OTP દ્રારા વેરિફિકેશન પૂર્ણ કરો . થોડા સેકેન્ડમાં તમારો નંબર સફળતાપૂર્વક રજિસ્ટર થઈ જશે .
સંચાર સાથી એપ એ એક માત્ર એપ જ નહિ પરંતુ મોબાઈલ સુરક્ષા માટેનું એક શક્તિશાળી સાધન છે . તે યુઝર્સને તેમના ડેટા અને ડિવાઇસ પર વધુ નિયંત્રણ આપે છે અને વધતા સાઇબર ફ્રોડ સામે રક્ષણ પૂરું પાડે છે .
જાહેરાત
જાહેરાત
Unpatchable Hardware Vulnerability Leaves Owners of Older iPhone XS, iPhone XR and iPhone 11 Models at Risk
Haier HQLED P7 Pro Series Smart TVs Launched in India With Dolby Atmos, 50W Speakers