રાજકીય કૌભાંડ પછી પિતાની પ્રતિષ્ઠા બચાવવા પુત્ર રાજકારણમાં પ્રવેશ કરે છે
Photo Credit: JioHotstar
પ્રતીચાયા (2026) 24 એપ્રિલ , 2026 થી JioHotstar પર સ્ટ્રીમ થઈ રહી છે
મલયાલમ ફિલ્મ પ્રતીચાયા એક રાજકીય ડ્રામા છે , જેમાં એક મુખ્યમંત્રીનું જીવન કૌભાંડ પછી સંપૂર્ણ બદલાઈ જાય છે . તેના પર એક યુવતી પર હુમલો કરવાનો આરોપ લાગે છે , જેના કારણે પરિસ્થિતિ બગડી જાય છે અને તેને પોતાના પદથી રાજીનામુ આપવું પડે છે . આ સમગ્ર ઘટનાથી તેની સંપૂર્ણ કારકિર્દી જ નહીં પરંતુ પરિવાર પણ અસરગ્રસ્ત થાય છે . આ સમયે તેનો પુત્ર જોન વર્ગીસ , જે એક ટેક બિઝનેસમેન છે અને રાજકારણમાં પ્રવેશે છે . ફિલ્મમાં પિતા - પુત્રના સંબંધ , રાજકીય કાવતરાં અને પરિવારની પ્રતિષ્ઠા બચાવવાનો સંઘર્ષ મુખ્ય વિષય છે .
ક્યારે અને ક્યાં જોવું
પ્રતીચાયા (2026) 24 એપ્રિલ , 2026 થી JioHotstar પર સ્ટ્રીમ થઈ રહી છે . આ ફિલ્મ મલયાલમ સાથે હિન્દી , કન્નડ , તેલુગુ અને તમિલ ભાષામાં પણ ઉપલબ્ધ છે .
ટ્રેલર અને પ્લોટ
આ ફિલ્મની વાર્તા પિતા અને પુત્રના સંબંધ પર આધારિત છે . પિતા કે એન .વર્ગીસ એક પ્રખ્યાત રાજકારણી છે , પરંતુ કૌભાંડ પછી તેની છબી ખરાબ થઈ જાય છે . તેના કારણે તેને રાજીનામુ આપવું પડે છે . પુત્ર જોન વર્ગીસ શરૂઆતમાં રાજકારણથી દૂર રહે છે અને પોતાનો ટેક બિઝનેસ ચલાવે છે . પરંતુ પિતાની સ્થિતિ અને પરિવારની પ્રતિષ્ઠા બચાવવા માટે તે રાજકારણમાં આવે છે . અહીંથી તેની નવી સફર શરૂ થાય છે , જેમાં તેને અનેક પડકારો અને કાવતરાઓનો સામનો કરવો પડે છે .
કાસ્ટ અને ક્રૂ
ફિલ્મના લેખક અને દિગ્દર્શક બી . ઉન્નીકૃષ્ણન છે . તેમને ગોકુલમ ગોપાલન અને બૈજુ ગોપાલન સાથે મળી આ ફિલ્મનું નિર્માણ પણ કર્યું છે . ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં નિવિન પાઉલી છે . તેમના ઉપરાંત વિષ્ણુ અગસ્ત્ય , સબિતા આનંદ અને હરિશ્રી અશોકન જેવા કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે .
અભિપ્રાય :
પ્રતીચાયા (2026) ને IMDb પર લગભગ 6.1 રેટિંગ મળ્યું છે . દર્શકોને ફિલ્મનો વાસ્તવિકતા સાથે જોડાયેલો રાજકીય ડ્રામા અને પાવરફુલ સ્ટોરીલાઈન પસંદ આવી છે . ખાસ કરીને પિતા - પુત્રના સંબંધ અને રાજકીય સંઘર્ષને લોકો દ્રારા વખાણ મળ્યા છે .
જાહેરાત
જાહેરાત