વધતા તાપમાન અને તીવ્ર સૂર્યપ્રકાશથી ત્વચાને નુકસાન થઈ શકે છે . યોગ્ય સ્કિન કેર , સંતુલિત આહાર અને હાઈડ્રેશન દ્રારા ઉનાળામાં ત્વચાને સુરક્ષિત રાખી શકાય છે .
ઉનાળાની ઋતુ શરૂ થતાં જ તાપમાનમાં વધારો થવા લાગે છે અને હાલમાં તો ગરમીનો પારો બહુ ઊચું જ જતો જાય છે , જેની અસર આપણા શરીર અને ખાસ કરીને ત્વચા પર પડે છે . વધુ ગરમી , પરસેવો , ધૂળ અને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ ( UV ) કિરણો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે . પરિણામે ટેનિંગ , સનબર્ન , ખીલ , ચામડીમાં બળતરા અને શુષ્કતા જેવી સમસ્યાઓ જોવા મળે છે . તેથી ઉનાળામાં ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી બની જાય છે .
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર , ઉનાળામાં દિવસ દરમિયાન સીધા સૂર્યપ્રકાશમાં લાંબા સમય સુધી રહેવાનું ટાળવું જોઈએ . ખાસ કરીને બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન સૂર્યના કિરણો વધુ તીવ્ર હોય છે . બહાર જવું જરૂરી હોય તો સનસ્ક્રીન , ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો લાભદાયી બની શકે છે .
ગરમીમાં શરીરમાં પાણીની ઉણપ ઝડપથી સર્જાઈ શકે છે , જેની અસર ત્વચા પર પણ પડે છે . એટલા માટે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું જોઈએ . જેથી શરીર હાઈડ્રેટ રહે છે અને આપણી ત્વચાની કુદરતી ચમક જળવાઈ રહે છે . તાજા ફળો , લીલા શાકભાજી અને પાણીથી ભરપૂર ખાદ્ય પદાર્થોનું સેવન પણ ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે .
ત્વચાની સફાઈ પણ એટલી જ મહત્વપૂર્ણ છે . એટલે કે વધુ પરસેવો અને ધૂળના કારણે ચેહરાના રોમછિદ્રો બંધ થઈ શકે છે . જેના કારણે ખીલ અને અન્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે . દિવસમાં બે વખત હળવા ફેસવોશથી ચહેરો સાફ કરવાથી ત્વચા સ્વચ્છ રહે છે . જોકે વધુ પડતા કેમિકલવાળા ફેસવોશનો ઉપયોગ ટાળવો જોઈએ .
દરેક વ્યક્તિની ત્વચાનો પ્રકાર અલગ હોય છે . તેથી સ્કિન કેર પ્રોડક્ટ્સ પસંદ કરતી વખતે પોતાની ત્વચાની જરૂરિયાતને ધ્યાનમાં લેવી જોઈએ . જો ત્વચા સંબંધિત કોઈ ગંભીર સમસ્યા હોય તો ત્વચારોગ નિષ્ણાંતની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે .
અંતમાં આટલું જ, કે આપણે સ્કિન કેરની જરૂરિયાત બધી જ સિઝનમાં પડે છે અને તેના માટે યોગ્ય આહાર , પૂરતું પાણી , નિયમિત સફાઈ અને સૂર્યપ્રકાશથી રક્ષણ જેવા સરળ ઉપાયો અપનાવીને ત્વચાને સ્વસ્થ અને તાજગીભરી રાખી શકાય છે .
જાહેરાત
જાહેરાત
Vivo Y500 4G Global Launch Teased; Confirmed to Debut With 8,100mAh Battery
WhatsApp Working on Voice Note Widget for Quick Access via Android Home Screen