તમિલનાડુમાં પ્રોટોટાઈપ ફાસ્ટ બ્રીડર રિએકટરએ તેની પ્રથમ ક્રિટિકલિટી હાંસલ કરી છે
Photo Credit: Unsplash/Nicolas Hippert
PFBR એ ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ દ્રારા વિકસાવવામાં આવ્યું હતું .
ભારતે તેના પરમાણુ કાર્યક્ર્મમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે . મંગળવારે પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએકટર (PFBR) એ પ્રથમ ક્રિટિકલિટી હાંસલ કરી છે , જે એવો તબક્કો છે જ્યાં રિએક્ટર પોતે વાપરે છે તેનાથી વધુ ઇંધણ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે . હવે PFBR સતત પરમાણુ પ્રતિક્રિયા જાળવી રાખવા સક્ષમ બન્યું છે , જેના કારણે ભારતના વિશાળ થોરિયમ ભંડારનો ઉપયોગ કરવાની દિશામાં આગળ વધવાનો રાસ્તો ખુલ્લો કર્યો છે . આપણા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ આ સિદ્ધિને ભારતના નાગરિક પરમાણુ કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યો અને પ્રોજેક્ટ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોને અને બીજા બધાને અભિનંદન આપ્યા .
ભારતનું PFBR પ્રથમ ક્રિટિકલિટી પ્રાપ્ત કરે છે
1) ફાસ્ટ બ્રીડર રિએકટર શું છે
દેશમાં સ્વદેશી રીતે વિકસિત પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએકટર તમિલનાડુના કલ્પક્કમ ખાતે સ્થિત છે . ફાસ્ટ બ્રીડર રિએકટર એવો પરમાણુ રિએકટર છે , જે વીજળી ઉત્પન્ન કરતી વખતે વપરાશ કરતાં વધુ ફિસાઈલ મટિરિયલ ઉત્પન્ન કરે છે . તે થર્મલ રિએકટરથી અલગ છે કારણ કે તે ઝડપી ન્યુટ્રોનનો ઉપયોગ કરીને ચેઇન રિએક્શન જાળવી રાખે છે .
2) પ્રથમ ક્રિટિકલિટી
પરમાણુ વિજ્ઞાનમાં , જયારે રિએકટર કોર સ્વ નિર્ભર સ્થિતિમાં પહોંચે છે ત્યારે તેને પ્રથમ ક્રિટિકલિટી કહેવાય . સરળ શબ્દોમાં કહીએ તો જ્યાં જુદા પાડવાની પ્રક્રિયામાં ઉત્પન્ન થતા ન્યુટ્રોન અને જતા થયેલા ન્યુટ્રોન વચ્ચે સંતુલન બને છે . આ સિદ્ધિ રિએક્ટરની સુરક્ષા અને કાર્ય કરવાની ક્ષમતા માટે મહત્વપૂર્ણ છે .
3)PFBR
Indira Gandhi Centre for Atomic Research દ્રારા વિકસિત PFBR યુરેનિયમ- પ્લૂટોનિયમ મિશ્રિત ઓક્સાઇડ (MOX ) ઇંધણનો ઉપયોગ કરે છે . તેમાં સોડિયમ ઠંડક માટે વપરાય છે , જેના કારણે વધારે તાપમાનમાં પણ આસાનીથી કામ કરી શકાય છે . આ રિએકટર " બંધ ઇંધણ ચક્ર " સિસ્ટમ પર આધારિત છે , જેમાં વપરાયેલ ઈંધણને ફરીથી પ્રક્રિયા કરીને ફરી ઉપયોગમાં લેવામાં આવે છે .
4) ભારતનો પરમાણુ ઉર્જા લેન્ડસ્કેપ
ભારતનું પરમાણુ ઉર્જા ક્ષેત્રે સતત વિકસી રહ્યું છે . હાલમાં દેશ લગભગ 8.78 ગીગાવોટ ઉર્જા ઉત્પન્ન કરે છે . ગયા વર્ષે પરમાણુ પ્લાન્ટોએ લગભગ 56,681 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન કરી હતી , જે કુલ ઉર્જા ઉત્પાદનનો આશરે 3.1 ટકા હિસ્સો છે . 700 મેગાવોટ અને 1000 મેગાવોટ ક્ષમતા ધરાવતા નવા રિએક્ટરો વિકાસ હેઠળ છે અને 2032 સુધીમાં કુલ ક્ષમતા 22.38 ગીગાવોટ સુધી પહોંચવાની સંભાવના છે .
5) લાંબા ગાળાના મિશન
કેન્દ્ર સરકારે 2025-26ના બજેટમાં 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે . આ હેતુ માટે નાના મોડયુલર રીએક્ટર (SMR ) વિકાસ માટે રૂપિયા 20,000 કરોડ આપવામાં આવ્યા . 2033 સુધીમાં ઓછામાં ઓછા પાંચ SMR રિએકટર કાર્યરત થવાની આશા રાખવામાં આવે છે .
જાહેરાત
જાહેરાત